મહેસાણા માટે... મહેસાણા દ્વારા... મહેસાણાનું... પોતાનું ગ્રુપ

આવો જાણીએ મોંઘેરું મેહોણા ગ્રુપને...

મોંઘેરું મેહોણા ગ્રુપની શરૂઆત મહેસાણાનાં લોકોને સેવા આપવાના ધ્યેય સાથે 2021 માં થઇ.

જેમાં રસીકરણને લગતી તમામ માહિતી અને રસીકરણના પોઈન્ટ્સ લોકો સુધી મહત્તમ રીતે પહોંચે એ જ મુખ્ય ધ્યેય હતો. જેમાં આપણા મહેસાણાનાં પરિવારજનોનો ખુબ પ્રેમ અને લાગણીઓ ગ્રુપ સાથે જોડાતા શરૂઆત થઇ એક એવા પરિવારની જેમાં માત્ર અને માત્ર લોકોની સેવા અને મહેસાણા જિલ્લાને મુખ્ય કેન્દ્ર સ્થાને રાખીને મહેસાણાને લગતા તમામ સમાચાર અને વર્તમાન બાબતોની વિગતો મળતી હોય.

મોંઘેરું મેહોણા ગ્રુપ એ વાતની ખાતરી કરે છે કે ફક્ત અધિકૃત અને નિષ્પક્ષ સમાચાર જ આપણા પરિવાર સુધી પહોંચે, જેથી દરેક મોંઘેરું મેહોણા ગ્રુપનો સદસ્ય વર્તમાન ઘટનાઓથી સારી રીતે માહિતગાર અને વાકેફ હોય!


જોડાવો મોંઘેરું મેહોણા ગ્રુપમાં અને મેળવો

  • દરરોજ મેળવો મહેસાણાના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ

  • દૈનિક ગુજરાતી અને અંગ્રેજી ન્યૂઝ પેપર

  • નવી નોકરીઓની તકોની માહિતી

  • સરકારી યોજનાઓ અને મહત્વના કાર્યક્રમોની જાણકારી

અમારી વિશિષ્ટતા

  • મહેસાણાનું એક માત્ર ગ્રુપ કે જેમાં 12 મહિનાના ટૂંકા ગાળામાં 30000 થી વધુ લોકો જોડાયા

  • હાલ કુલ 118+ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનેલ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ માધ્યમથી લોકો અમારી સાથે જોડાયા છે

  • દર 2 દિવસમાં એક નવું વોટ્સએપ ગ્રુપ બને છે

  • 98% દૈનિક વાચકો ધરાવતું એક માત્ર ગ્રુપ

પરંપરાગત બેનર જાહેરાત


  • પરંપરાગત બેનર જાહેરાત આપવી બહુ જ ખર્ચાળ હોય છે.

  • તે એક જ જગ્યા પર જાહેરાત આપી હોય તો વધુ લોકો સુધી પહુચી શકાતું નથી.

ડિજિટલ જાહેરાત


  • આજે લોકો અંદાજિત 5-10 કલાક સુધી મોબાઇલ વાપરે છે.

  • ખૂબ જ સસ્તા ભાવમાં ડિજિટલ જાહેરાત આપીને અલગ અલગ વિસ્તારના બહુ લોકો સુધી તમારી જાહેરાત પહુચે છે.

  • આજે લોકો મોબાઈલ સાથે વધુ સમય રહે છે તો ડિજિટલ જાહેરાત આપવાથી વેપારને વધુ ફાયદો થાય છે.

પોર્ટફોલિયો

  • અત્યાર સુધી 200 થી વધારે વેપારીઓએ પોતાના વેપારની જાહેરાત મોંઘેરું મેહોણા પર આપીને પોતાના વેપારને વધાર્યો છે

  • શુ તમે પોતાના વેપારને વધારવા માંગો છો !? તો આજે જ કોન્ટેક્ટ કરો

  • +91 8320810234 પર આજે જ સંપર્ક કરો

Pricing

Silver Class

₹ 300 ₹ 250
/Per Post A DAY
₹ 2100 ₹ 1500
/Per Post A DAY (For 7 Day)

  • Image with News Updates
  • Individual Image Only
  • Individual Image with Text Content
  • Individual Image with Text Content + Single Link

Gold Class

₹ 600 ₹ 500
/Per Post A DAY
₹ 4200 ₹ 3000
/Per Post A DAY (For 7 Day)

  • Single Individual Image Only
  • Individual Image with Text Content
  • Individual Image with Text Content + Single Link

Platinum Class

₹ 850 ₹ 700
/Per Post A DAY
₹ 5950 ₹ 4200
/Per Post A DAY (For 7 Day)

  • Single Individual Image Only
  • Individual Image with Text Content
  • Individual Image with Text Content + Single Link

Diamond Class

₹ 1100 ₹ 900
/Per Post A DAY
₹ 7700 ₹ 5400
/Per Post A DAY (For 7 Day)

  • Single Individual Image Only
  • Individual Image with Text Content
  • Individual Image with Text Content + Single Link

WhatsApp

31000 +

Facebook

1000 +

Website Hits

57039

Recent Job Updates

Recent Blog Updates

બાળકોના મોબાઈલ અને ઈન્ટરનેટ વપરાશ પર રાખો નજર

 વ્યસ્ત રહેતા બાળકોના માતા પિતા માટે એક ખૂબ ઉપયોગી માહિતી અને તેમની સમસ્યાનું સમાધાન ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે પણ જો કાળજી ન રાખવામાં આવે તો અભિશાપ બની શકે છે.   તાજેતરમાં બનેલી ધટનાઓ ૧. સુરતમાં ગેમ રમતા લડાઈ થતા યુવાનની હત્યા ૨. ઉ.પ્ર. બરેલીમાં વિદ્યાર્થિની ઓનલાઇન ગેમ રમતા યુવકના પ્રેમમાં પડી તો ઘર છોડ્યું. ૩. ટીવી સ્ટાર ૨૦ વર્ષીય તુનીશા શર્માની આત્મહત્યા ૪. ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનવાની હોડમાં અકસ્માતની ઘટનાઓ.   સુરતમાં એક તરફી પ્રેમી યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી,જેના ચુકાદો સંભળવતા કોર્ટે જણાવ્યું કે યુવાનોમાં આ પ્રકારની હિંસક વૃત્તિનું એક કારણ સોશિયલ મીડિયા,હિંસક વેબ સિરીઝ અને ગેમિંગ ની આદત છે. જેના કારણે યુવક - યુવતીઓ માનસિક રીતે પ્રતાડિત અને અશાંત જોવા મળે છે.     વયસ્ક લોકો માટે you tube,what's app, instagram, Facebook તથા અન્ય પ્લેટફોર્મ વ્યક્તિગત મનોરંજન માટે જરૂરી છે,પણ તરૂણ વયના બાળકો જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે તેમના માટે આ બધા પ્લેટફોર્મ નો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે.   સોશિયલ મીડિયા એડિકશન ની અસરો:   ૧. વ્યક્તિ પારિવારિક અને સામાજિક જીવનથી દૂર થતો જાય છે.   ૨. Real life નહિ પણ ઈન્સ્ટાગ્રામ ની Reels માં વ્યસ્ત રહે છે.   ૩. સ્વભાવ ચીડિયો અને અસ્થિર મનોસ્થિતિ   ૪. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર જોયેલ વીડિયોને ઘરે પ્રયોગ કરતા ગંભીર અકસ્માતની ઘટનાઓ.   ૫. You tube, instagram પર જોવા મળતા બીભત્સ,અશ્લીલ વીડિયો અને ફોટા ના કારણે બાળકની મનોસ્થિતિ અને અભ્યાસ પર નકારત્મક અસર.     આના બધી સમસ્યાના સમાધાન માટે આજે એક ખૂબ ઉપયોગી Google Family link એપ વિશે વાત કરીશું અને તેના ફાયદા અને ઉપયોગ કઈ રીતે કરવો તે જાણીશું.     બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને જેની સામે માતા-પિતા હારી જાય છે અને તે છે સ્માર્ટફોન. બાળકોને સ્માર્ટફોનને વળગી રહેવાની આદત પડી જાય છે, જેના કારણે માતા-પિતા પરેશાન થઈ જાય છે. ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, વોટ્સએપ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે.    જો બાળક સામે છે, તો તે સારું છે. પરંતુ જ્યારે બાળક ફોન સાથે એકલું હોય છે, ત્યારે તેઓ સમજી શકતા નથી કે બાળકો ફોન પર શું કરે છે. બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે.જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. આ કિસ્સામાં આ એપ તમારી મદદ કરી શકે છે. આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...       ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે- બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, તો તમે Family Link ઍપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. તમે આ એપને તમારા બાળકના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો અને તેને એક્સેસ રાખી શકો છો.   બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે- એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે તેની વિગતો પણ હશે. જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.   એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે- જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.   સમય મર્યાદા સેટ કરો- જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. સમય મર્યાદા નક્કી થતાં જ બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.   બાળકનો ફોન લોક કરી શકાય છે- જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો. લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.   લોકેશન જાણી શકશો- સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.   Google Family link એપ  Google Family link App  

EXAM WARRIORS

*વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક વિશે જાણીએ      *તાજેતરમાં આપની આસપાસ બનેલી ઘટનાઓથી આપડે વાકેફ છીએ...!!!*   ૧. મેહસાણાનો એક વિદ્યાર્થી પરીક્ષાના પરિણામના ભયથી ઘર છોડી ભાગી ગયો.   ૨. નવેમ્બર ૨૦૨૨,અમદાવાદ ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષીય વિધાર્થિનીએ આત્મહત્યા કરી.   ૩. એપ્રિલ ૨૦૨૨,ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં પ્રિયંકા,ધોરણ ૧૦ ની વિદ્યાર્થિની અને એના જેવા બીજા ૧૪ વિધાર્થીઓએ પરીક્ષાના તણાવને કારણે આત્મહત્યા કરી.   ૨. JEE - NEET ના વિદ્યાર્થીઓ સૌથી વધુ તણાવ અનુભવતા હોય છે.   ૩.. ગયા વર્ષના રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર દર વર્ષે ૨૫૦૦ લોકો પરીક્ષાના ભયના કારણે આત્મહત્યા કરે છે.   ૪. ૨૦૧૪-૨૦ ના છેલ્લા ૭ વર્ષમાં પરીક્ષાના તણાવના કારણે દેશમાં ૧૨,૫૮૨ આત્મહત્યાની ઘટનાઓ નોંધાઈ છે.      *આવી ઘટનાઓ પાછળ કારણ શું છે?*  *આ સમસ્યાનું સમાધાન શું છે ?*   શિક્ષણ જીવનને ઉજ્જવળ બનાવવા માટે છે પણ જ્યારે શિક્ષણ જ જીવન ટૂંકાવાનું કારણ બની જાય ત્યારે માતા - પિતા અને સમાજના બુધ્ધિજીવી લોકોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ.   કેટલાક કારણો જેવાકે... સ્પર્ધા પોતાની રુચિ ન હોય એવા વિષય કે ક્ષેત્રમાં કાર્ય આંતરિક મનોબળની નિર્બળતા સોશિયલ મીડિયાનું વળગણ જેના કારણે કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે. ગેમિંગની આદત-એકાગ્રતા નો અભાવ  તથા અન્ય ઘણા બધા કારણો જેના વિશે પછી વાત કરીશું...     *વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક્ઝામ વોરિયર (Exam Warriors) પુસ્તક દ્વાર એક નવો પ્રયોગ શરૂ કરાયો છે.* ✍️   ખાસ કરીને આ પુસ્તક ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, જે વધુ પડતા તણાવ માં હોય છે તેમને વધુ ઉપયોગી બની રહે એમ છે.   આ પુસ્તક એ ફક્ત વાંચવાનું નથી કે એમાં કોઈ મોટીવેશનલ વાતો પણ નથી,પરંતુ એમાં કામ કરવાનું છે.   એમાં અલગ અલગ મોડ્યુલ/ મંત્ર આપેલા છે.જેમાં વિદ્યાર્થીએ એ ટાસ્ક પૂરો કરવાનો રહે છે.     મનોવિજ્ઞાન શાસ્ત્રીઓ એવું કહે છે કે જ્યારે વ્યક્તિ પોતાના અંતકરણ ના ભાવ અને વિચારોની અભિવ્યક્તિ નથી કરી શકતો ત્યારે એકલતા,તણાવ અને એંજાયટી,ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ભોગ બને છે.?     Exam warriors માં અલગ અલગ ૨૫ મોડ્યુલ જેને મંત્ર નામ આપ્યું છે. જેવા કે    ૧. પરીક્ષા એ એક ઉત્સવ ૨. પરીક્ષા એ તમારી વર્તમાન તૈયારીને દર્શાવે ન કે તમારા વ્યક્તિત્વની તો આનંદ માં રહો ૩. Be warrior not a worrier ૪. પોતાની જાત સાથે સરખામણી કરો નહિ કે અન્ય સાથે. ૫. it is your time-make the most of it ૬. તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો અને પૂરતો આરામ કરો ૭. પોતાની જાતને શોધો ૮. એક યાત્રા પૂરી થાય તો બીજી શરૂ થાય છે.     ઉપરોક્ત મોડ્યુલમાં દરેક વિદ્યાર્થીએ પોતાના વિચારો લખવાના છે અને પોતાના માતા પિતા સાથે વહેંચવાના રેહતાં હોય છે.   આમાં માતા પિતા માટે પણ મોડ્યુલ આપેલ છે જેમાં તેઓ પોતાના વિચારો અને સૂચન અન્ય વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સાથે વેહચી શકે છે.   આપ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના પૂરા કરેલ ટાસ્કને અપલોડ કરી શકો છો તથા અન્ય વિદ્યાર્થીઓના વિચારોને પણ જાણી શકો છો.    અગાઉ જણાવ્યા અનુસાર જયારે વિદ્યાર્થી પોતાની મુંજવણ અને સમસ્યાઓને બાકી લોકો સાથે વહેંચશે ત્યારે તે ચિંતાથી મુક્ત બનશે   આ એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થી જાણશે કે બીજા વિદ્યાર્થીઓ પણ પોતાના જેવીજ સમસ્યાઓ અને મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે તેની એકલતા દૂર થશે અને વધુ મહેનત કરવા પ્રેરાશે   આમ,ચિંતા મુક્ત અને સ્વસ્થ મનોસ્થિતિ સાથે વિદ્યાર્થી પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે.   અન્ય એક ભાગમાં મહાપુરુષોના વિદ્યાર્થી જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો ટાંકવામાં આવ્યા છે.        *મોબાઈલ એપ્લિકેશન* Narendra Modi - Exam warriors   ૧. એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો    ૨. EXAM WORRIES મેનુ પર ક્લિક કરો    ૩. જેમાં વિદ્યાર્થીઓ અને માતા - પિતા માટે પણ કેટલાક ટાસ્ક તમને દેખાશે                 

વતન પ્રેમ યોજના - ગુજરાત સરકાર

વતન પ્રેમ યોજના વિશે વતન કરે છે યાદ...તમને વતન પાડે છે સાદ, સરકાર તમારી સાથે છે ને, જોઈએ છે તમારો સાથ..   ગુજરાતીઓ સમગ્ર દેશ અને દુનિયામાં વસે છે, ત્યારે વતનના સંભારણા અને વતન પ્રત્યેનો પ્રેમ તેમના હૃદયમાં સદાય જીવંત હોય છે. આવા વતન પ્રેમી ગુજરાતીઓ પોતાના વતનમાં મોટા પ્રમાણમાં દાન આપે છે.   વતન પ્રેમીઓને જન્મભુમિ માતૃભુમિનું ઋણ ચુકવવાની ઉત્તમ તક આપવા જનહિત વિકાસ કાર્યોમાં જન ભાગીદારીનું સૌથી મોટુ અભિયાન એટલે “વતન પ્રેમ યોજના.   યોજનાના ઉદ્દેશ ગુજરાતનાં ગામડાઓના સર્વાંગી વિકાસના કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પડવી. વતનપ્રેમીને વતનસેવા સુધી લઈ જવો. વતનપ્રેમીઓના જન્મભૂમિના, માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક આપવી. આત્મનિર્ભર બનવું. સરકાર-દાતાઓ-ગામનાં લોકો વચ્ચે જનકલ્યાણ-વિકાસનો ત્રિવેણી સંગમ.     કોણ આ યોજનામાં ભાગીદાર બની શકે છે?   જિલ્લા,રાજ્ય કે દેશ બહાર વસતા કોઇ પણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન દ્વારા યોજના નું અમલીકરણ    યોજના હેઠળ લઇ શકાય તેવા કામોની સૂચિ:-- શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લારા કોમ્યુનિટી હોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,આરોગ્ય કેન્દ્રનું મકાન  આંગણવાડી- મધ્યાહન ભોજનનું રસોડુ- સ્ટોરરૂમ,  પુસ્તકાલય રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને રાાધનો. સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ સ્મશાનગૃહ વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર/STP ઈત્યાદી તળાવ બ્યુટીફીકેશન  એસ.ટી.સ્ટેન્ડ સોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર     કેવી રીતે અને કેટલું મળે છે સરકારી અનુદાન ?   ઉપરોકત કામો ના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.   યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવાની થતી અનુદાનની રકમ એટલે કે બાકીની ખૂટતી ૪૦% કે તેથી ઓછી રકમ જે તે કામને સંલગ્ન વિભાગની બજેટ જોગવાઈમાંથી કરાશે.   VATAN PREM YOJANA REGISTRATION

Recent Yojana Updates

વિધવા સહાય યોજના

  નિરાધાર વિધવા બહેનો સમાજમાં સમ્માનથી જીવી શકે તે માટે વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે ગંગા સ્વરૂપા યોજના અમલમાં મુકવામાં આવી છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કરવામાં આવ્યું છે. સહાયની રકમ? વિધવા વિદ્યાર્થીને દર મહીને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT  મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે.  યોજનાની પાત્રતા? 18 વર્ષ કે તેથી વધારે ઉંમરની કોઈપણ નિરાધાર વિધવા મૃત્યુ પર્યંત લાભ મેળવી શકે છે.  BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધારે વય હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો  લાભ મળી શકે છે.  વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000ની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે.  ડોક્યુમેન્ટ? પતિના મરણનો દાખલો  આધારકાર્ડ  રાશનકાર્ડની નકલ  આવક અંગેનો દાખલો  વિધવા હોવા અંગેનો દાખલો  પુનઃ લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર  અરજદારની ઉંમર અંગેના પુરાવા  પાસપોર્ટ સાઈઝના બે ફોટા  બેંક અથવા પોસ્ટ પાસબુક  અરજી ફોર્મ ક્યા તથા કેવી રીતે ભરવું? ઓનલાઈન અરજીઓ બાબતની કામગીરી ગ્રામપંચાયત ખાતે "DIGITAL GUJARAT PORTAL" પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.  સૌ પ્રથમ Vidhva Sahay Yojana Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટી પાસે સહી તથા સિક્કા કરાવીને VCE ને આપવું.  ગ્રામ પંચાયતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એંટ્રી કરવામાં આવશે. હેલ્પલાઈન નંબર: 18002 335500  યોજના ચાલુ રાખવા માટેની શરતો? વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.  વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં જમા કરાવવાનું રહેશે.  અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું? સૌ પ્રથમ લાભાર્થી અહીં ક્લિક કરો વેબસાઈટ ઓપન કરો.  NSAP વેબસાઈટ ખોલ્યા બાદ REPORT માં જવું  REPORTમાં beneficiary search, track and pay માં જવું.  ત્યારબાદ pension payment details માં જવું.  લાભાર્થી 3 રીતે પોતાની online application નું સ્ટેટસ જાણી શકશે.  sanction order no/application no  application name  mobile no.  રેશન કાર્ડ માટે અરજી કરવા અહીં ક્લિક કરો  

નિરાધાર વૃદ્ધ સહાય યોજના

યોજનાનો હેતુ ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા નિરાધાર વૃદ્ધો, નિરાધાર અપંગો, કે નિરાધાર વ્યકિતોને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે હેતુથી “નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવેલી છે. જેથી નિરાધાર વૃદ્ધો લાભ લઈને પોતાનું જીવન ગુજરાન ચાલવી શકે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે. યોગ્યતા અરજદાર લાભાર્થીની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ. અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.  દિવ્યાંગ અરજદારની ઉંમર 45 વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75 %થી વધુ હોવી જોઈએ. લાભાર્થીનો જો પુત્ર 21 વર્ષ (પુખ્તવય) નો હોય પણ માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી જેવી ગંભીર માંદગીથી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થાય. લાભાર્થી ઓછામાં ઓછા 10 (દસ) વર્ષથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ. આવક મર્યાદા આ યોજનાનો લાભ માટે લાભાર્થીની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150,000 (દોઢ લાખ રૂપિયા) ગ્રામ્ય વિસ્તાર માટે 120,000 (એક લાખ વીસ હજાર) થી વધુ ન હોવી જોઈએ. ડોક્યમેન્‍ટ લાભાર્થીનો ઉંમર અંગેનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર-LC, જન્મનો દાખલો, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક) આવક અંગેનું પ્રમાણપત્ર (Income Certificate) ગુજરાતમાં વસવાટ અંગેનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ/વીજળી બિલ/આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈપણ એક) આધારકાર્ડ(Aadhar card) લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (સિવિલ સર્જનનું સર્ટિફિકેટ) 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિત વિષયક નિષ્ણાંત તબીબનું/TB કેન્‍સરથી પીડાતા હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવું. 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ મળવાપાત્ર લાભ લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો માસિક રૂપિયા 750 (સાતસો પચાસ) DBT (Direct Benefit Transfer) દ્વારા લાભાર્થીને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. Viklang pension yojana(ASD) એટલે નિરાધાર અપંગોના નિભાવ માટેની આ યોજના છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીની ઉંમર 45 થી વર્ષથી વધુ અને દિવ્યાંગતા 75% થી વધુ હોય તો દર મહિને 750/- પેંશન સહાય પેટે આપવામાં આવશે. અરજી ક્યાં કરવી? અરજી પ્રક્રિયા-ઓનલાઈન (Digital Gujarat Portal) ગ્રામસ્તરે “e-gram કેન્‍દ્રો” મારફતે નિમાયેલા Village Computer Entrepreneur (VCE) દ્વારા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજનાની ઓનલાઈન અરજીઓ “digital gujatat portal website” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.        

પ્રધાનમઁત્રી જન આરોગ્ય યોજના(મુખ્યમંત્રી વાત્સ્લ્ય યોજના)

  આ યોજના હેઠળ ઘણા ગરિબ પરિવારો ને ખુબ જ મદદ મળેલ છે તેઓ તેમના સ્વજનો ને સરકારી કે ખાનગી દવાખાના મા તદન મફત સારવાર લઇ શકે છે. ફાયદાઓ સરકાર તરફ થી ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને 5 લાખ સુધી ની સહાય કેશલેશ મા પરિવાર દિઠ 5 લાખ રૂપિયા ની સહાય થી તેઓ ગુજરાત ની સરકારી અથવા ખાનગી હોસ્પિટલ મા કેશલેસ સારવાર તદન મફત મા લઇ શકે છે. યોગ્યતાઓ આ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના નો લાભ ગુજરાત મા વસવાટ કરતા ગરીબી રેખા(BPL) નીચે જીવન જીવતા પરિવારો ને મળે છે. “મા વાત્સલ્ય” કાર્ડ યોજના નો લાભ મધ્યમ વર્ગ ના પરિવારો ને મળે છે કે જેઓ ની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે તેઓ ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે. “મા વાત્સલ્ય” યોજના નો લાભ સાલ 2018 થી ગુજરાત સરકાર આરોગ્ય શાખા મા કાર્યરત આરોગ્ય કર્મચારીઓ વર્ગ‌‌-3 ને અને આશા વર્કર(ASHA) બેહનો ને મળવા પાત્ર છે. આ યોજના નો લાભ જેઓ ની ઉમર 60 વરસ કરતા વધારે છે કે જેઓ સિનિયર સિટિજન મા આવે છે અને તેઓ ની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે છે.તેવા બધા લોકો ની આ યોજના નો લાભ મળવાપાત્ર છે. રાજ્ય ની કોઇ પણ શાખા મા ફિક્સ 5 વરસ મા નોકરી કરતા રાજ્ય સરકાર ના તમામ કર્મચારીઓ ને Maa Vatsalya Yojana નો લાભ મળવાપાત્ર છે. ગુજરાત મા જે તમામ માન્ય પત્રકારો છે તેઓ ને આ યોજના નો લાભ મળે છે આધારપુરાવા મા કાર્ડ માટે જે પરિવારો BPL મા આવતા હોઇ તેઓ ગામ ના તલાટીમંત્રી પાસે થી BPL નો દખલો રજુ કરવાનો રહેશ. બારકોડ વાળુ રેશનિંગ કાર્ડ (રેશનિંગ કાર્ડ મા વધુ મા વધુ 5 વ્યક્તિ નો સમાવેશ) આ યોજના નો લાભ કુટુંબ ના વધુ મા વધુ 5 વ્યક્તિઓ ને જ મળે છે. પરિવાર ની વાર્ષિક આવક નો દાખલો. પરિવાર મા જે 5 વ્યક્તિઓ ને લાભ આપવો હોઇ તેમના બધા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ. આશા બેહનો માટે જો તેઓ ગામડા મા ફરજ બજાવતા હોઇ તો તેમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  ના મેડિકલ ઓફિસર નુ પ્રમાણપત્ર. આશા બેહનો માટે જો તેઓ શહેરી વિસ્તાર મા ફરજ બજાવતા હોઇ તો તેઓ ના અર્બન હેલ્થ ઓફિસર નુ પ્રમાણપત્ર. રાજ્ય સરકાર મા ફરજ બજાવતા તમામ ફિક્સ કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ને તેઓ નુ નિમણૂક પત્ર અને સંબંધિત કચેરી ના વડા પાસે થી પ્રમાણપત્ર. પત્રકારો માટે તેઓ ને માહીતી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ પત્રકાર તરિકે નુ પ્રમાણપત્ર આવક કેટલી જોઇશે? મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના માટે BPL વાળા પરિવારો ને લાભ મળે છે.જેમા આવક ની જરૂર હોતી નથી. “મા વાત્સલ્ય” યોજના માટે 4 લાખ ની વાર્ષિક આવક મર્યાદા છે.દાખલો ફક્ત 3 વર્ષ જ માન્ય રહેશે. માં કાર્ડ માટે અરજી કરો આ યોજના નો લાભ લેવા માટે ગામડા વાળા ને તેમના તાલુકા મા તાલુકા આરોગ્ય કચેરી પર જવાનુ હોઇ છે. જ્યા તેઓ બધા ડોક્યુમેંટ રજુ કરવાથી તેઓ ને ત્યા મા કાર્ડ કાઢી આપે છે. વધુ મા પ્રાથમિક આરોગ્ય કેંદ્રો/સામુહિક આરોગ્ય કેંદ્રો પર મા કાર્ડ માટે ના સેંટરો ઉભા કરવામા આવેલ છે.ત્યાથી પણ તમે મા કાર્ડ કાઢાવી શકો છો. દાખલાઓ ફોર્મ અને ફોટો  ચુંટણી કાર્ડની નકલ  રેશનકાર્ડની નકલ આધારકાર્ડની નકલ આવકનો દાખલો (વાત્સલ્ય કાર્ડ માટે રૂ.૩ લાખ કે તેથી ઓછી આવક) મહાનગરપાલિકાનાં BPL કાર્ડની નકલ (માં અમૃતમકાર્ડ માટે જ) કઈ બિમારી નો ઇલાજ થશે? કેંસર ની બિમારી માટે. હદય ને લગતી તમામ બિમારિઓ માટે(બાયપાસ સર્જરી, એંજિઓગ્રાફી,સ્ટેંટ-સ્પ્રિંગ બેસાડવા માટે) કિડ્ની સંબંધિત તમામ રોગો. મગજ ના અને કરોડરજ્જુ ના તમામ રોગો. ગંભીર અકસ્માત એન તેની ઇજાઓ માટે. નવજાત શિશુ ને કોઇ પણ રોગ માટે9(3 વર્ષ ની ઉમર સુધી જ) બળવુ કે દાજી જવાના કિસ્સા મા સારવાર.  

Recent News Article

RBI આપી રહ્યું છે સસ્તું સોનું ખરીદવાની તક

હાલના દિવસોમાં સોનાનું બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે.  આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે  પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે.    આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.     ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત  રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.    ગોલ્ડ બોન્ડનું વેચાણ સ્મોલ ફાઈનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને છોડીને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પસંદગીની પોસ્ટ ઓફિસો  બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવશે.     ઓનલાઇન ખરીદવા માટે લિંક      https://www.stockholding.com/sovereign-gold-bonds.php   કોણ રોકાણ કરી શકે છે? નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડની વહેચણી કરવામાં આવશે. ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.   મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગોલ્ડ બોન્ડનો કાર્યકાળ આઠ વર્ષનો છે. પાંચ વર્ષ પછી તેમાં વ્યાજ ચુકવવાની તારીખનો સમય પહેલા જ રિડમ્પશનની સુવિધા છે. રોકાણકારોને તેમાં છ મહિનાના આધાર પર 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે.   કેટલું સોનું ખરીદી શકાય ? હિંદુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિગ્રા અને સંસ્થાઓ માટે 20 કિગ્રા પ્રતિ નાણાકીય વર્ષની મર્યાદા છે. 

Post Office દ્વારા કમાણીની તક.

Post Office દ્વારા કમાણીની તક, ફ્રેન્ચાઇઝી લઈને તમે પણ આપી શકો છો પોસ્ટ ઓફિસની સેવાઓ.   પોસ્ટ ઓફિસ દેશની સૌથી વિશ્વાસપાત્ર સંસ્થાઓમાંથી એક છે. દેશના કરોડો લોકો બચત કરવા માટે પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ રાખે છે. પોસ્ટ ઓફિસનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલો છે, પરંતુ હજુ ઘણા એવા વિસ્તાર નથી, જ્યાં કનેક્ટિવિટી એટલી સારી નથી. પોતાના નેટર્કમાં વિસ્તાર માટે ઈન્ડિયન પોસ્ટે થોડા સમય પહેલા ફ્રેન્ચાઇઝી સર્વિસ લોન્ચ કરી છે.   તમે સરળતાથી પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઈ શકો છો. તેના દ્વારા તમે પણ તમારા વિસ્તારમાં પોસ્ટ ઓફિસવાળી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકો છો. આવો જાણીએ આ યોજના વિશે.....   પોસ્ટ ઓફિસમાં ફ્રેન્ચાઇઝી સ્કીમ પોસ્ટ ઓફિસની વેબસાઇટ અનુસાર બે પ્રકારની પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી હોય છે. પહેલા આઉટલેટ ફ્રેન્ચાઇઝી અને ફ્રેન્ચાઇઝી પોસ્ટલ એજન્ટ્સ. તમારી સુવિધા અનુસાર કોઈપણ ફ્રેન્ચાઇઝી પ્લાન પસંદ કરી શકો છો.    કોણ કરી શકે છે અરજી? 18 વર્ષની ઉપર કોઈપણ વ્યક્તિ ફ્રેન્ચાઇઝી માટે અરજી કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિનો કોઈપણ પરિવારજન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી ન હોવો જોઈએ. તો કોઈ સરકારી માન્યતા પ્રાપ્ત સ્કૂલમાંથી 8 ધોરણ પાસ હોવા જોઈએ.    પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝીનો ખર્ચ આઉટલેટ ફ્રેન્ચાઇઝી, પોસ્ટલ એજન્ટ્સની તુલનામાં ખુબ સસ્તું હોય છે, કારણ કે તેમાં માત્ર સર્વિસના કાર્ય હોય છે. સ્ટેશનરી પર ખર્ચ થવાને કારણે પોસ્ટલ એજન્ટ્સ થોડા મોંઘા હોય છે. પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછા 200 સ્ક્વેર ફૂટની ઓફિસની જગ્યા હોવી જોઈએ. આ સિવાય 500 રૂપિયા સિક્યોરિટી અમાઉન્ટ હોવું જોઈએ. તેમાં જમા કર્યા બાદ તમને ફ્રેન્ચાઇઝી ખોલવાની મંજૂરી મળી જશે.    પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી ખોલી કરો કમાણી ફ્રેન્ચાઇઝી ખોલ્યા બાદ તમે પોસ્ટ ટિકિટ, સ્પીડ પોસ્ટ, મની ઓર્ડર વગેરે પ્રકારની સર્વિસ આપીને કમાણી કરી શકો છો. એક ડાક પોસ્ટના બુકિંગ પર તમને 3 રૂપિયા, સ્પીડ પોસ્ટ પર 5 રૂપિયા, પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્ટેશનરીના વેચાણ પર તમને 5 ટકા કમીશન મળે છે.     

આપના ઉમેદવારને જાણો - જાગૃત મતદાર સશકત લોકશાહી

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ દેશના એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું એ આપની એક નૈતિક ફરજ છે. આપનો વોટ ઉમેદવારને રાજ્યની વિધાનસભામાં પ્રવેશ આપશે અને ૫ વર્ષ સુધી રાજ્યનો કારભાર ઉઠાવાની જવાબદારી આપે છે. આથી આપડે એક જાગૃત અને સક્રિય નાગરિક તરીકે આપડે આપણા માટે વિસ્તારના સ્થાનિક ઉમેદવાર વિષે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. આ સંદર્ભે રાષ્ટ્રીય ચુંટણી આયોગ પારદર્શક અને સુલેહ ભર્યા વાતાવરણમાં ચુંટણી થાય એ હેતુ થી જાગૃત મતદારો માટે એક ઉત્તમ સેવા પૂરી પાડે છે, જેના દ્વારા આપણે આપણા મોબાઈલ ફોનથી જ ઉમેદવારની જંગમ અને સ્થાવર સંપતિ, તેના પર દાખલ થયેલ ગુના , શૈક્ષણિક લાયકાત, તેના દ્વારા લેવાયેલ બેન્ક લોન તથા અન્ય માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સરળ પદ્ધતિ લિંક પર ક્લિક કરો  https://affidavit.eci.gov.in/ ત્યાર બાદ AC general સિલેક્ટ કરો . રાજ્ય અને આપની વિધાનસભા સીટ પસંદ કરો ઉમેદવારી નોધવેલ બધાજ ઉમેદવારની સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે પ્રાપ્ત કરો.  

Today's Commodity Price

* These are not accurate prices. There may be minor price variation between outlet to outlet, which is normal :)

27

Jul

2024

  • Gold

    00000 (10gm)

  • Silver

    00000 (10gm)

  • Petrol

    00000 (lit)

  • Diesel

    00000 (lit)

  • CNG

    00000 (kg)