વ્યસ્ત રહેતા બાળકોના માતા પિતા માટે એક ખૂબ ઉપયોગી માહિતી અને તેમની સમસ્યાનું સમાધાન
ટેકનોલોજી આશીર્વાદ રૂપ છે પણ જો કાળજી ન રાખવામાં આવે તો અભિશાપ બની શકે છે.
તાજેતરમાં બનેલી ધટનાઓ
૧. સુરતમાં ગેમ રમતા લડાઈ થતા યુવાનની હત્યા
૨. ઉ.પ્ર. બરેલીમાં વિદ્યાર્થિની ઓનલાઇન ગેમ રમતા યુવકના પ્રેમમાં પડી તો ઘર છોડ્યું.
૩. ટીવી સ્ટાર ૨૦ વર્ષીય તુનીશા શર્માની આત્મહત્યા
૪. ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનવાની હોડમાં અકસ્માતની ઘટનાઓ.
સુરતમાં એક તરફી પ્રેમી યુવકે જાહેરમાં યુવતીની હત્યા કરી,જેના ચુકાદો સંભળવતા કોર્ટે જણાવ્યું કે યુવાનોમાં આ પ્રકારની હિંસક વૃત્તિનું એક કારણ સોશિયલ મીડિયા,હિંસક વેબ સિરીઝ અને ગેમિંગ ની આદત છે. જેના કારણે યુવક - યુવતીઓ માનસિક રીતે પ્રતાડિત અને અશાંત જોવા મળે છે.
વયસ્ક લોકો માટે you tube,what's app, instagram, Facebook તથા અન્ય પ્લેટફોર્મ વ્યક્તિગત મનોરંજન માટે જરૂરી છે,પણ તરૂણ વયના બાળકો જેઓ વિદ્યાર્થી અવસ્થામાં છે તેમના માટે આ બધા પ્લેટફોર્મ નો ઉપયોગ નુકસાન કારક સાબિત થઈ શકે છે.
સોશિયલ મીડિયા એડિકશન ની અસરો:
૧. વ્યક્તિ પારિવારિક અને સામાજિક જીવનથી
દૂર થતો જાય છે.
૨. Real life નહિ પણ ઈન્સ્ટાગ્રામ ની Reels માં વ્યસ્ત રહે છે.
૩. સ્વભાવ ચીડિયો અને અસ્થિર મનોસ્થિતિ
૪. વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર જોયેલ વીડિયોને ઘરે પ્રયોગ કરતા ગંભીર અકસ્માતની ઘટનાઓ.
૫. You tube, instagram પર જોવા મળતા બીભત્સ,અશ્લીલ વીડિયો અને ફોટા ના કારણે બાળકની મનોસ્થિતિ અને અભ્યાસ પર નકારત્મક અસર.
આના બધી સમસ્યાના સમાધાન માટે આજે એક ખૂબ ઉપયોગી Google Family link એપ વિશે વાત કરીશું અને તેના ફાયદા અને ઉપયોગ કઈ રીતે કરવો તે જાણીશું.
બાળકો માત્ર એક જ વસ્તુનો આગ્રહ રાખે છે અને જેની સામે માતા-પિતા હારી જાય છે અને તે છે સ્માર્ટફોન. બાળકોને સ્માર્ટફોનને વળગી રહેવાની આદત પડી જાય છે, જેના કારણે માતા-પિતા પરેશાન થઈ જાય છે. ફોન હાથમાં આવતાં જ બાળકો યુટ્યુબ, વોટ્સએપ અને બીજી ઘણી એપ્સ એક્સેસ કરે છે.
જો બાળક સામે છે, તો તે સારું છે. પરંતુ જ્યારે બાળક ફોન સાથે એકલું હોય છે, ત્યારે તેઓ સમજી શકતા નથી કે બાળકો ફોન પર શું કરે છે. બાળકો એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તેઓ સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ કરી નાંખે છે.જેથી માતાપિતાને ખબર ન પડે કે તેઓ શું જોઈ રહ્યા છે. આ કિસ્સામાં આ એપ તમારી મદદ કરી શકે છે. આની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે બાળક ફોન પર ક્યાં અને શું જોઈ રહ્યું છે. આવો જાણીએ તેના વિશે...
ગૂગલ ફેમિલી એપ મોનિટર કરી શકશે-
બાળકો ઈન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે ગૂગલે આ એપ તૈયાર કરી છે. જો તમારું બાળક નાનું હોય કે કિશોર હોય, તો તમે Family Link ઍપ પર ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના નિયમો બનાવી શકો છો. તમે આ એપને તમારા બાળકના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો અને તેને એક્સેસ રાખી શકો છો.
બાળકોની દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે-
એપ જણાવશે કે બાળક સ્માર્ટફોન પર કેટલો સમય રહે છે. બાળક કઈ એપનો ઉપયોગ કરી રહ્યું છે તેની વિગતો પણ હશે. જો બાળકે કોઈપણ એપ ઈન્સ્ટોલ અને ડીલીટ કરી હશે તો તેની વિગતો પણ તમને દેખાશે.
એપ્સ પર પ્રતિબંધ લગાવી શકાય છે-
જો તમારા બાળકના સ્માર્ટફોનમાં કોઈ એપ બિનજરૂરી છે, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકશો. ધારો કે, જો બાળકે પ્લે સ્ટોર પરથી કોઈ એપ ઈન્સ્ટોલ કરી હોય, તો તમે તેને તમારા ફોનમાંથી જ પ્રતિબંધિત કરી શકો છો.
સમય મર્યાદા સેટ કરો-
જો તમારું બાળક સ્માર્ટફોન સાથે ચોંટી રહેતા હોય , તો તમે સમય મર્યાદા સેટ કરી શકો છો. એપમાં સમય મર્યાદા સેટ કરવાનો વિકલ્પ છે. સમય મર્યાદા નક્કી થતાં જ બાળકનો સ્માર્ટફોન લોક થઈ જશે.
બાળકનો ફોન લોક કરી શકાય છે-
જો બાળક આખી રાત સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તો તમે આ એપની મદદથી બાળકના ફોનને લોક કરી શકો છો. લોક કર્યા પછી બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે નહીં.
લોકેશન જાણી શકશો-
સૌથી વધુ ચિંતા એ છે કે બાળક ક્યાં છે. આ એપ થકી તમે જાણી શકશો કે બાળક કયા સમયે ક્યાં છે. તમારે ફક્ત એપ પર લોકેશન મોડ રાખવાનો છે. બાળક કયા સમયે ક્યાં છે? તમે સરળતાથી લોકેશન ટ્રૅક કરી શકશો.
Google Family link એપ
Google Family link App
પાન કાર્ડ અપડેટ: જો 31 માર્ચ, 2023 પહેલા પાન કાર્ડ આધાર સાથે લિંક ન થાય તો શું થશે?
આવકવેરા વિભાગની સૂચના મુજબ, કાયમી ખાતા નંબર ધારકોએ 31 માર્ચ, 2023 સુધીમાં તેમનો નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવો આવશ્યક છે. જાહેર સલાહ મુજબ, જો PAN 31 માર્ચ, 2023 પહેલાં આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી, તો PAN નિષ્ક્રિય થઈ જશે.
સૂચિત તારીખ બાદ PAN ધારકો તેમના દસ-અંકના અનન્ય આલ્ફાન્યૂમેરિક નંબરનો ઉપયોગ કરી શકશે નહીં અને PAN સાથે જોડાયેલા નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે. તદુપરાંત, તમામ આવકવેરાના બાકી રિટર્નની પ્રક્રિયા અટકાવવામાં આવશે.
આ પ્રક્રિયામાંથી કોને મુક્તિ પ્રાપ્ત છે ?
જો કે, એવા કેટલાક રહેવાસીઓ છે જેમને તેમના PAN ને આધાર સાથે લિંક કરવાથી મુક્તિ આપવામાં આવી છે. આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલયમાં રહેતા કરદાતાઓ; આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી; પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના; ભારતના નાગરિક નથી, તેઓને PAN ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.
PAN ને આધાર સાથે લિંક કરવા માટેની અંતિમ તારીખ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આધાર સાથે PAN લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ 2022 થી 31 માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી હતી.લિંકિંગ પ્રક્રિયા શરૂ કરવા માટે કરદાતાઓએ રૂ 1000 ની ફી ચૂકવવી જરૂરી છે.
શા માટે PAN ને આધાર સાથે લિંક કરવું જોઈએ?
કેન્દ્રએ વર્તમાન નિયમો હેઠળ PAN અને આધાર નંબરને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. લિંકિંગ એ કાનૂની જરૂરિયાતો માટેની પ્રક્રિયા છે, ત્યારે આ પ્રક્રિયાથી સરકાર અને કરદાતાઓને પણ ફાયદો થાય છે.
વધુમાં, પાનને આધાર સાથે લિંક કરવાથી બહુવિધ પાન કાર્ડ ધરાવતા લોકોને શોધવામાં મદદ મળે છે.
જો PAN ને આધાર સાથે લિંક કરવામાં આવે તો તે આવકવેરા રિટર્ન પ્રક્રિયા અને વેરિફિકેશનને સરળ બનાવશે.
PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું:
સૌપ્રથમ, ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો -LINK eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
,યુઝર આઈડી, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરો.
મેનુ બાર પર 'પ્રોફાઈલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો.
PAN વિગતો મુજબ નામની જન્મ તારીખ અને લિંગ જેવી વિગતો પહેલેથી જ ઉલ્લેખિત કરવામાં આવશે.
તમારા આધાર પર ઉલ્લેખિત વિગતો સાથે સ્ક્રીન પર PAN વિગતો ચકાસો.
જો વિગતો મેળ ખાતી હોય, તો તમારો આધાર નંબર દાખલ કરો અને "હવે લિંક કરો" બટન પર ક્લિક કરો.
એક પોપ-અપ મેસેજ તમને જાણ કરશે કે તમારું આધાર તમારા PAN સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.
આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી શતાબ્દિ મહોત્સવના મુખ્ય આકર્ષણો
દરરોજે સાંજે વિશાળ લાઈટ એન્ડ સાઉન્ડ શો 180 ફૂટ પહોળા મંચ પર 300 બાળકો-યુવકોની પ્રસ્તુતિ એક સાથે 20,000 પ્રેક્ષકો ખુલ્લા સભાગારમાં બેસીને માણો
5 વિશાળ ડોમમાં વિવિધ થીમ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમો
ડોમ- 1માં ટૂટે વય, તૂટે ઘર પર પારિવારિક સંવાદિતા ગૌરવની વાત
ડોમ-2માં વતો, તોઽ હૈ યે વંથન વ્યસનમુક્તિની પ્રેરણા
ડોમ-3માં મેરા ભારત, હમારા ભારત પર ભારતના
ડોમ-4માં સંત પરમ હિતવારી પ્રમુખસ્વામીની વિરલ પ્રતિભાનું દર્શન
દરરોજે ‘નારાયણ સભાગૃહ'માં સાંજે 5.00થી 7.30 વિવિધ વિષયક સભા કાર્યક્રમો
15 ડિસેમ્બરઃ અમિત શાહનું આગમન, ‘ઈન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો આરંભ
16 ડિસેમ્બર: સંસ્કૃતિ દિન
17 ડિસેમ્બરઃ પરાભક્તિ દિન
18-19 ડિસેમ્બરઃ મંદિર ગૌરવ દિને મંદિર શિલ્પ સ્થાપત્ય પર કોન્ફરન્સ, ગુરુભક્તિ વંદના
20 ડિસેમ્બર: સંવાદિતા દિને તમામ ધર્મોના વડાઓનો મંચ પરથી એકતા સંદેશ
21-22 ડિસેમ્બર: સમરસતા અને આદિવાસી ગૌરવ દિન, શ્રીમદ્ શંકરાચાર્યજી સ્વામીશ્રી સદાનંદજી મહારાજની ઉપસ્થિતિ
23 ડિસેમ્બરઃ અધ્યાત્મ અને આરોગ્ય દિન 24 ડિસેમ્બર: વ્યસન મુક્તિ- જીવન પરિવર્તન દિન
25 ડિસેમ્બર: રાષ્ટ્રીય સંત સંમેલન
26 ડિસેમ્બર: સ્વામિનારાયણ સંત સાહિત્ય- લોક સાહિત્ય દિન
27 ડિસેમ્બરઃ વિચરણ - સ્મૃતિ દિન
28 ડિસેમ્બર: સેવા દિન 29 ડિસેમ્બર: પારિવારિક એકતા દિન
30 ડિસેમ્બરઃ સંસ્કાર અને શિક્ષણ દિન
31 ડિસેમ્બર: દર્શન - શાસ્ત્ર દિને સંસ્કૃત યુનિવર્સિટીઓના ઉપકુલપતિઓ અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ તત્ત્વજ્ઞાન સમારોહ.
1જાન્યુઆરી: બાળ- યુવા કિર્તન આરાધના
2 જાન્યુઆરી: બાળ સંસ્કાર દિન
3-4 જાન્યુઆરી: યુવા સંસ્કાર દિન-ગુજરાત ગૌરવ દિને દેશ-વિદેશના બાળકો-યુવાનોની રોમાંચક રજૂઆતો
5 જાન્યુઆરીઃ મહિલા દિન નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા કાર્યક્રમો
6 જાન્યુઆરી: અખાતી દેશના વડા-રાજાની ઉપસ્થિતિ
7 જાન્યુઆરી: નોર્થ અમેરિકાના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
8 જાન્યુઆરી: યુ.કે. યુરોપના રાજદૂતો-નેતાઓની ઉપસ્થિતિ
9 જાન્યુઆરી: આફ્રિકાના જુદા જુદા દેશોના રાજદૂતો અને પ્રખર નેતાઓની ઉપસ્થિતિ
10 જાન્યુઆરી: મહિલા દિન - 2
11 જાન્યુઆરી: બી.એ.પી.એસ. એશિયા પેસિફિક દિન
12 જાન્યુઆરી: અક્ષરધામ દિન
13 જાન્યુઆરી: સંત કિર્તન આરાધના
15 જાન્યુઆરી: PM નરેન્દ્ર મોદી, અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પૂર્ણાહૂતિ સમારોહ
મુલાકાત :
મહોત્સવમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી
દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. ,એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે.
પ્રવેશદ્વાર ની વિગત
પ્રમુખસ્વામી નગરમાં પ્રવેશવા માટેનાં સાત પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે.જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે, જ્યારે બાકીનાં છ પ્રવેશદ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે.
Gate no 2,3,4 ભાડજ સર્કલ તરફથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.
Gate no 5,6,7, આંગણજ સર્કલથી આવતા લોકો પ્રવેશ મેળવી શકશે.
સ્વામિનારાયણનગરે પહોંચ્યા બાદ આ એપ આપશે તમામ જવાબ
સ્વામિનારાયણ નગરે પહોંચ્યા બાદ ઉપયોગી થશે આ એપ Psm100.
પહેલા તો તમારા ફોનમાં Psm100 એપ ઇન્સ્ટોલ કરી લો. આ એપ એક ગાઈડની ભૂમિકા તરીકે કામ કરશે, જેમાં મુલાકાતીએ એક QR કોડ સ્કેન કરતાં પાર્કિંગ માટેની જગ્યાની ખબર પડી જશે અને મહોત્સવનાં તમામ આકર્ષણો પણ ક્યાં અને કેવી જવું એવી માહિતી આ એપ દ્વારા મળશે.
કોઈપણ માહિતી અને લોકેશન કેટલું દૂર છે જેવી માહિતી એપ દ્વારા મળી જશે. એની સાથે સાથે સાંજે ચાલતા તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામની માહિતી અને સમય પણ આ એપ્લિકેશન દ્વારા મળી જશે. આ એપ્લિકેશન ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં છે.
ખાણી - પીણી
જુદા જુદા સ્થળે ૩૦ પ્રેમવતીની વ્યસ્વથા કરી છે જેમાં પાઉંભાજી થી લઈ ખીચડી જેવી વાનગીઓ અને ચા,કોફી,છાશ,આઈસ્ક્રીમ બધું જ મળી રહશે.
નગરની મુલાકાત લેનારા લોકોની મદદ માટે મહિલા અને પુરુષની ટીમો ખડેપગે રહેશે, જેમાં ખોવાયેલી ચીજવસ્તુ માટે 250 પુરુષ-મહિલા મદદરૂપ બનશે.
નગરમાં પ્રવેશ કરતા કોઈપણ પણ પ્રકારની માહિતી ના હોય અને ટેકનોલોજીની જાણકારી ના હોય તો મુલાકાત લેનારે ચિંતા કરવાની જરાપણ જરૂર નથી ઇન્કવારી ઓફિસ અને સ્વયંસેવક પડેપગે મદદ કરવા માટે તૈયાર છે.