રાજ્યના NFSA રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બર-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" ના વિનામૂલ્યે વિતરણ સબંધિત અગત્યની જાણકારી
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સપ્ટેમ્બર મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૯.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.
NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગત નીચે મુજબ છે.
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”
રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ ૩.૪૫ કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ,ગ્રા. ઘઉં અને ૪ કિ.ગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૧ સપ્ટેમ્બરથી કરવામાં આવશે.
"વન નેશન, વન રેશનકાર્ડ યોજના"
ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા/આંગળીનો ઉપયોગ કરી, પોતાની ઓળખ આપી, અન્ન પુરવઠો મેળવી શકશે.
“અન્નબ્રહ્મ યોજના"
રેશનકાર્ડ ન ધરાવતા, ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ, અત્યંત ગરીબ/અશક્ત, નિરાધાર વ્યક્તિ, પરપ્રાંતિય શ્રમિકો, હોસ્પિટલના બિછાને પડેલ જરૂરિયાતમંદ દર્દી અને અનાથ બાળકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાનાં હેતુસર વ્યક્તિદીઠ ૧૦ કિલો ઘઉં તથા ૫ કિલો ચોખા રાજય સરકારની “અન્નબ્રહ્મ યોજના" હેઠળ વિનામૂલ્યે મળવાપાત્ર છે.
લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦, ૧૪૪૪૫ તેમજ “My Ration" મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશે.