ઉમાછત્ર કવચ યોજના : પરિવારની કમાનાર વ્યક્તિના મૃત્યુ પછી આર્થિક સમસ્યા ન થાય તે માટે નિર્ણય 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા.

ઉમાછત્ર કવચ યોજના : પરિવારની કમાનાર વ્યક્તિના મૃત્યુ પછી આર્થિક સમસ્યા ન થાય તે માટે નિર્ણય 2 હજાર પાટીદાર પરિવારોને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ આવરી લેવાયા.

 

આગામી વર્ષોમાં વધુ 10 હજાર પરિવારને આ યોજના હેઠળ સુરક્ષિત કરાશે.

 

  • આકસ્મિક કે કુદરતી સંજોગોમાં 10 લાખનું કવચ

 

આ યોજનાના કન્વીનર જયંતી લાકડાવાલાના જણાવ્યા મુજબ, ઉમાછત્ર યોજના હેઠળ સભ્યોનું 55 વર્ષ કે તેથી ઓછી ઉંમરે આકસ્મિક, કુદરતી કે ગંભીર બીમારીના કારણે અવસાન થાય તો સંસ્થાના સભ્ય જાતે પરિવારને બેસણાંના દિવસે 10 લાખનું આર્થિક કવચ આપશે.

 

 

  • એકસાથે 31 હજારનું દાન કરી સુરક્ષિત થવાશે

 

ઉમાછત્ર યોજનામાં કોઈ વ્યક્તિ 2200ના પ્રીમિયમની જગ્યાએ 31 હજાર સુધીનું દાન એક સાથે આપી શકે છે. આ યોજનામાં કોઈ પણ પાટીદાર પરિવાર માત્ર રૂ.4 હજારનું રજિસ્ટ્રેશન કરી અને 55 વર્ષ સુધી 1200થી 2200નું સહભાગી દાન કરી યોજનાનો લાભ લઈ શકે છે.

 

જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયા ધામમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પાટીદાર સમાજના 2 હજાર પરિવારને રૂ. 200 કરોડના ઉમાછત્ર કવચ યોજના હેઠળ સુરક્ષિત કરાયા છે.

 

વિશ્વ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ આર.પી પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા રૂ.200 કરોડની ઉમાછત્ર યોજના તૈયાર કરાઈ છે. આ યોજનાનો ઉદેશ્ય સમાજના કોઈ પરિવારનો મોભી અથવા કમાનારી વ્યક્તિના અવસાન બાદ તેના પરિવાર પર આર્થિક સમસ્યા ન આવે તે માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉમાછત્ર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2 હજાર પાટીદાર પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાસપુર ખાતે નવનિર્મિત વિશ્વ ઉમિયાધામ જ્યારે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યાં સુધીમાં વધુ 10 હજાર પાટીદાર પરિવારોને આ યોજના હેઠળ સમાવવાનો લક્ષ્યાંક સંસ્થા દ્વારા નક્કી ક૨વામાં આવ્યો છે. કોઈ પણ પાટીદાર પરિવાર એકસાથે રૂ.31 હજારનું દાન કરી આ યોજનાનો લાભ લઈ શકે છે.

 

Comments

Leave a Comment