Sep 02, 2022 સિનિયર સિટીઝન્સ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય સિનિયર સિટીઝન્સ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, આરોગ્ય સંસ્થાઓમાં સિનિયર સિટીઝન્સ માટે અલગથી વ્યવસ્થા કરાશે, હોસ્પિટલમાં વોર્ડમાં સિનીયર સિટીઝં માટે અલગથી 2 બેડ રિઝર્વ રખાશે મોટી હોસ્પિટલમાં વૃદ્વો માટે અલગ વોર્ડ ફાળવવામાં આવ
Aug 31, 2022 યુએન દ્વારા ગ્લોબલ ઇ-વેસ્ટ મોનિટર રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. • આ રિપોર્ટ વર્ષ 2019-20 માટેનો છે જેના મુજબ સૌથી વધુ ઇ-કચરો કરવામાં ભારત 10,14,961 ટન ઇ-વેસ્ટ વજન સાથે અમેરિકા અને ચીન બાદ ત્રીજા ક્રમ પર છે! ભારતમાં અગાઉ 2017-18માં ઇ-વેસ્ટ 7.08 લાખ ટન તેમજ વર્ષ 2018-19માં 771 લાખ ટન હતો. • ઇ-વેસ્ટમાં 70% ભાગીદારી કમ્પ્યુટરના કચરાની, 12% મોબાઇલની, 8% મેડિકલ કચરાની તેમજ 7% જેટલી ભાગીદારી ઇલેક્ટ્રિક ડિવાઇસની છે. • ભારત હાલ પોતાના કુલ ઇ-વેસ્ટનો લગભગ 20% જેટલો કચરો જ રિસાઇકલ કરી શકે છે. • ઇ-વેસ્ટ કચરાથી લોકોને ફેફસાની તકલીકો, કેન્સર, ત્વચાના ગંભીર રોગો, ડીએનએ ડેમેજ તેમજ થાઇરોઇડ સહિતના રોગો થઇ શકે છે.
Aug 31, 2022 બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટની એક કલમને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી. • સુપ્રીમ કોર્ટે એક કેસની સુનવણી દરમિયાન બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ, 1988ની કલમ 3(2)ને ગેરબંધારણીય ગણાવી રદ કરી છે. • આ કલમ બેનામી સોદામાં 3 વર્ષની જોગવાઇ દર્શાવતી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા મોદી સરકારે વર્ષ 2016માં કરેલ સુધારાને પણ ગેરકાયદેસર ઠેરવી જણાવ્યું છે કે વર્ષ 2016ના સુધારાને પાછલી અસરથી લાગૂ કરી શકાય નહીં.
Aug 31, 2022 દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ પૂણે ખાતે લોન્ચ કરવામાં આવી. • આ બસનું નિર્માણ Council of Scientific and Industrial Research (CSIR) KPIT દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી દ્વારા કરાયું છે. • આ બસ ચલાવવા માટે ફ્યુલસેલ હાઇડ્રોજન અને વાયુનો ઉપયોગ કરીને વીજળી બનાવાય છે તેમજ બસમાંથી ફક્ત પાણી નીકળે છે. • આ બસ ડીઝલથી ચાલતી પરંપરાગત બસ કરતા બહુ નજીવી માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન કરશે.
Aug 31, 2022 ગુજરાત સરકાર દ્વારા શહીદોના પરિવારોને અપાતી સહાયમાં વધારો કરાયો. ✓ ફેરફાર કરાયા બાદ નવા નિયમ મુજબ શહીદ જવાનના પરિવારોને અપાતી સહાય 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. ✓ આ સિવાય શહીદ જવાનના પત્નીને માસિક રુ 1,000 ચુકવાતા હતા તેમાં વધારો કરીને રુ 5,000 કરાયા છે. ✓ બાળકો તેમજ શહીદના માતાપિતાને માસિક રુ 500 ને બદલે રુ 5,000 અપાશે. અપંગતાના કિસ્સામાં રુ. 2.5 લાખ તેમજ માસિક રુ 5,000ની સહાય ચુકવાશે. ✓ ગેલેન્ટરી અથવા સર્વિસ મેડલ મેળવનાર જવાનોને પરમવીર અથવા અશોક ચક્ર બદલ રુપિયા 1 કરોડ, સર્વોત્તમ યુદ્ધ સેવા બદલ રુપિયા 5 લાખ, મહાવીર અથવા કીર્તિ ચક્ર બદલ રુપિયા 50 લાખ તેમજ વીર ચક્ર અને શૌર્ય ચક્ર બદલ રુપિયા 25 લાખ આપવા માટે પણ સરકારની વિચારણા છે.
Aug 31, 2022 UGC દ્વારા પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ યોજનાને મંજૂરી આપવામાં આવી. ✓ University Grant Commission (UGC) દ્વારા આ મંજૂરી બાદ વિવિધ સંસ્થાઓમાં વિવિધ ક્ષેત્રના ક્વાલિફાઈ નિષ્ણાતોને ફેકલ્ટી તરીકે નિમણૂંક આપી શકાશે. ✓ આ યોજના હેઠળ પ્રોફેસર્સની નિમણૂંક માટે કોઇ ઔપચારિક ડિગ્રીને જરુર નહીં રહે. ✓ આ યોજના દ્વારા નિષ્ણાતોને સંસોધનપત્રના પ્રકાશન અને ક્વૉલિફિકેશની શરતમાંથી પણ છૂટછાટ મળશે. ✓ આ માટે જે-તે શિક્ષણ સંસ્થાઓમાં કુલ મંજૂર પદના 10%થી વધુ પ્રોફેસર આ યોજના હેઠળ રાખી શકાશે નહીં. આ યોજના મુજબ 15 વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાતોને જ ક્વાલિફાઈ માનવામાં આવશે.