BLOGS

આગામી 2 સપ્ટેમ્બરના રોજ IAC vikrant નૌસેનાને સોંપવામાં આવશે.

✓ આ જહાજનું નામ 1971ના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર વિમાનવાહક જહાજ INS વિક્રાંતના નામ પરથી અપાયું છે. ✓ ભારતનું આ જહાજ કોચીન શિપયાર્ડે લગભગ 20,000 કરોડના ખર્ચે તૈયાર કર્યું છે. ✓ આ જહાજનું સમુદ્રી પરીક્ષણ ગયા મહિને પૂર્ણ થયું હતું. ✓ આ જહાજમાં 2,300થી વધુ કમ્પાર્ટમેન્ટ્સ આવેલા છે જેમાં 1,700 લોકોના દળ રહી શકશે. આ જહાજ 262 મીટર લાંબુ 62 મીટર પહોળું તેમજ 59 મીટર ઊંચું છે. ✓ આ જહાજનું નિર્માણ વર્ષ 2009માં શરુ કરાયું હતું. ✓ આ જહાજમાં આવેલ આઠ જનરેટર કોચી શહેરને વીજળી પુરી પાડવા માટે સક્ષમ છે. ✓ આ જહાજ પર લગભગ 30 વિમાનોને લઇ જઇ શકાય છે તેમજ તે 28 સમુદ્રી માઇલ્સની ઝડપથી દોડી શકે છે. ✓ IAC Vikrant પોતાના તાકાત મુજબ વિશ્વના શક્તિશાળી, આધુનિક અને ઘાતક જણજોની યાદીમાં ટોચના 10 જહાજોમાં સામેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને ટોમેટો ફ્લૂ' સંબંધિત એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી.

• આ એડવાઇઝરી કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. • ટોમેટો ફ્લૂ નામનો આ ફ્લૂનો સૌપ્રથમ કેસ છઠ્ઠી મે ના રોજ કેરળના કોલ્લમ જિલ્લા ખાતે નોંધાયો હતો. • ત્યારબાદ કેરળના આંચલ, આર્યનકવુ અને નેથુર વિસ્તારમાં પણ ટોમેટો ફ્લૂના કેસ નોંધાયા હતા. • કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં પણ આ સંક્રમણ દેખાતા કેન્દ્ર દ્વારા આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ટોમેટો બ્લૂ એક હાથ, પગ અને મોં ની બીમારી છે જેમાં મોંમા છાલા પડવા તેમજ હાથ અને પગમાં લાલ ચકામા થવા જેવા લક્ષણો દેખાય છે. આ સિવાય થોડો તાવ આવવો, ઓછી ભૂખ લાગવી તેમજ બેચેની રહેવા જેવા લક્ષણો પણ નોંધાયા છે.

શ્રી ગણેશ મહાયાગ તથા સંતવાણી મહોત્સવનું આયોજન. -  ગજાનનદાદાની પૂજન વિધિ તથા પોલિસ દ્વારા ગાર્ડ - શોભાયાત્રા - ગુજરાત-કચ્છ-કાઠીયાવાડના નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી 

આથી ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે ચાલુ સાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિધ્ધિ વિનાયક કે શ્રી ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. આ પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન-સત્સંગ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ છે. નિમંત્રક : શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ શ્રી ગણપતિ મંદિર, રાજમહેલ રોડ, મહેસાણા-૧.  બાન્નુપુરી - 99241 40727 લાલદાસજી મહારાજ - 94264 26100    વિ.સં.2078 ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી થી ભાદરવા સુદ-૯ શ્રીચંદ્ર નૌમી તા.૩૧-૮-૨૦૨૨ ને બુધવાર થી તા.૫-૯-૨૦૨૨ સોમવાર સુધી સંવત 2078ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી શ્રી ગજાનનદાદાની પૂજન વિધિ તથા પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૦૦ કલાકે શોભાયાત્રા : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે ગણેશયાગનો પ્રારંભ: તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૧-૦૦ કલાકે યજ્ઞ શ્રીફળ હોમવાનો સમય : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સાંજે ૦૬-૦૦ કલાકે દરરોજ રાત્રે ગુજરાત-કચ્છ-કાઠીયાવાડના નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સમય : રાત્રે ૧૦-૦૦ કલાકે ગણેશ વિસર્જન : તા.૫-૯-૨૦૨૨, સોમવાર ભાદરવા સુદ-૯ સાંજે ૩-૩૦ કલાકે યજ્ઞના મુખ્ય યજમાન :  અ.સૌ. વિદ્યાબેન જયદેવભાઈ નાયક પરિવાર (લાખવડવાળા) (માન.શ્રી ડૉ.અનિલ નાયક - શ્રી જીતુભાઈ નાયક - શ્રી મયંક નાયક) યજ્ઞના આચાર્ય :  શાસ્ત્રી અરૂણભાઈ ભગવતિપ્રસાદ દવે ભગવાનશ્રી ગણપતિદાદાના મંદિરના સાનિધ્યમાં સંત નિવારાનું નિર્માણ કાર્ય થઇ રહેલ છે. સત્ કાર્યમાં તન મન અને ધનથી સહયોગ આપી અપાવી ધર્મ લાભ લેવા નમ્ર વિનંતી છે.- જય ગજાનન તા.ક. આપના ભેટ/દાનની પાવતી અવશ્ય મેળવી લેવી. દર મંગળવારે તથા સુદ અને વદ ચતુર્થીએ અથર્વશિર્ષના પાઠ બપોરે ૨ થી ૪ કલાકે મંદિરમાં થાય છે.   શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની પૂજન વિધિનો લાભ લેવા માટે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.   માન.શ્રી શારદાબેન પટેલ : સંસદસભ્યશ્રી લોકસભા મહેસાણા માન.શ્રી જીગલજી લોખંડવાલા - સાંસદસભ્યશ્રી રાજ્યસભા મહેસાણા  માન.શ્રી અચલ ત્યાગી સાહેબ :  જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, મહેસાણા માન.શ્રી અશોકભાઈ ચૌધરી : ચેરમેનશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા માન.શ્રી જશુભાઈ પટેલ  માન.શ્રીમતિ વર્ષાબેન પટેલ :  પ્રમુખશ્રી, મહેસાણા નગરપાલિકા માન.શ્રી દિલીપભાઈ ત્રિવેદી : અધ્યક્ષશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત માન.શ્રી દિલિપભાઈ જે.ચૌધરી :  મહામંત્રીશ્રી, સાર્વજનિક શૈક્ષણિક વિદ્યા સંકુલ, મહેસાણા માન.શ્રી વિનોદભાઈ એમ.પટેલ : જનરલ મેનેજર સાહેબશ્રી, શ્રી મહે. અર્બન કો.ઓપ.બેન્ક.લી.  માન.શ્રી ડૉ. અનિલભાઈ જે.નાયક : પૂર્વ કુલપતિશ્રી, ઉત્તર ગુજરાત યુનિર્વસિટી માન.શ્રી શંકરભાઈ એ, ચૌધરી  માન.શ્રી નટુભાઈ ચૌધરી : માન. શ્રી વિપુલભાઈ એમ.શાહ : માન.શ્રી અશ્વિનભાઈ ચાજ્ઞિક  માન.શ્રી જગદીશભાઈ જે.રાવલ

નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ

નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ તારીખ : ૪-૯-૨૦૨૨, રવિવાર સમય : સવારે ૯-૦૦ થી બપોરે ૧૨-૦૦ કલાકે સ્થળ : પ્રાથમિક કુમાર શાળા, નાગલપુર ઉપલબ્ધ સુવિધાઓ :   ✓ નિ:શુલ્ક આરોગ્ય તપાસ તથા દવાઓનું વિતરણ કોવિડ તપાસ - ટેસ્ટ   ✓ મહેસાણા શહેરના ખ્યાતનામ સુપરસ્પેશ્યાલિસ્ટ / સ્પેશ્યાલિસ્ટ/ ફેમિલી ફિજીશીયન   ✓ ડૉકટર્સ દ્વારા નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પમાં ઉપલબ્ધ ડૉક્ટર્સ નીચે મુજબ છે. બાળરોગ નિષ્ણાત :    (૧) ડૉ. હર્ષદ એમ. પટેલ    (૨) ડૉ. અંક્તિ પટેલ  સર્જન :     (૧) ડૉ. અનિલ ડી. પટેલ     (૨) ડૉ. કૌશિક ચૌધરી ન્યુરો સર્જન : ડૉ. અંકિત પટેલ ઓર્થોપેડિક સર્જન :   (૧) ડૉ. નિશાન્ત ચૌધરી    (૨) ડૉ. સુમિત પ્રજાપતિ કાડિયોલોજીસ્ટ : ડૉ. નિકુંજ પટેલ ફિજીશીયન :   (૧) ડૉ. નિખીલેશ પટેલ    (૨) ડૉ. કશ્યપ ભોજક સ્ત્રી રોગ નિષ્ણાત : ડૉ. રમેશ ટી. પટેલ ઈ.એન.ટી. સર્જન : ડૉ. દિપક સોની આંખના સર્જન : ડૉ. ધર્મેશ પટેલ ફેમિલી ફિજીશીયન :   (૧) ડૉ. ભરત પ્રજાપતિ    (૨) ડૉ. આનંદ આર. રાઠોડ    (૩) ડૉ. મનીષ દેસાઈ    (૪) ડાઁ. હૃદય આનંદ રાઠોડ   (૫) ડૉ. મિલન દવે  ડેન્ટલ સર્જન : ડૉ. મિહીર પટેલ ફિજીયોથેરાપીસ્ટ : ડૉ. કેતુલ ઓઝા