????️ તાજેત૨માં 19 માર્ચ, 2022ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે 'સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન 2022ના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો.
↪️આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો તથા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનો છે.
↪️ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આ અભિયાન 19 માર્ચ થી 31 મે, 2022 સુધી એમ કુલ 75 દિવસ સુધી જન શક્તિના સહયોગથી હાથ ધરવામાં આવશે.
↪️ આ અભિયાન હેઠળ રાજ્યની નદીઓને પુનઃજીવિત કરવી, ચેકડેમનું રિપેરિંગ, તળાવો ઊંડા કરવા તથા વરસાદના પાણીના સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, તળાવના પાળાઓને મજબૂત કરવા, નહેરોની સાફસફાઈ વગેરે જેવા કાર્યો કરવામાં આવશે.
↪️ આ પાંચમા તબક્કાના અભિયાન અન્વયે સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે જેનાથી જળ સંગ્રહ શક્તિમાં 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે.
↪️ આ ઉપરાંત, અભિયાન અન્વયે 25 લાખથી વધુ માનવદિન રોજગારીનું મનરેગા અંતર્ગત સર્જન થશે.
↪️ આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2022ના અંત સુધીમાં નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને નળ દ્વારા પાણી પૂરું પાડવાની પ્રતિબદ્ધતા આવી હતી.
↪️ સુજલામ્ સુફલામ અભિયાનના સફળ ચાર તબક્કામાં જળ સંગ્રહ શકિતમાં કુલ 61781 લાખ ઘનફૂટની વૃદ્ધિ તેમજ 156.93 લાખથી વધુ માનવદિન રોજગારી ઊભી થઈ છે.
↪️ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનની રાષ્ટ્રીય ક્ષાએ નોંધ લેવામાં આવી હતી, જે હેઠળ રાજ્ય સરકારને વર્ષ 2020માં પ્લેટિનિયમ એવોર્ડ અને વર્ષ 2021માં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો હતો.